સ્નેહિમિત્ર શ્રી, ભરતભાઈ વિંઝુડાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ સાથે તેમની ગઝલ

લગાવી કલાપીએ માયા ગઝલની,
જગાવી કલાપીએ માયા ગઝલની !

કોઈ કસ્તુરી મૃગ જેવી અમો ને,
બતાવી કલાપીએ માયા ગઝલની !

સળગતા તિખારા ઉપર કોઈ ચાલે,
જલાવી કલાપીએ માયા ગઝલની !

હું ફરું છું એની જ વચ્ચે હંમેશા,
રચાવી કલાપીએ માયા ગઝલની !

હવે ગોપીઓ શોભાના થઇ જવાની,
ચલાવી કલાપીએ માયા ગઝલની !

- શ્રી ભરત વિંઝુડા.. 
ગઝલ સંગ્રહ: 'તો અને તો જ' માંથી આભાર સહ.